31 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી જિલ્લામાં 1 વર્ષ પહેલા આપેલ આવેદન પત્રનું કોઇ જ નિરાકરણ નહીં..!! માલપુરમાં ગરીબ ભરથરી પરિવારોનો અવાજ બનશે કોણ..? ઓટલા માટે સંઘર્ષ


અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં છેલ્લા એક વર્ષથી ભરથરી પરિવારોના ઝૂપડા હટાવવાને લઇને વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માલપુર ગામના સ્મશાને જવાના રસ્તે કટલાક ભરથરી પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારંગી વગાડીને ભિક્ષાવૃત્તિ કરીને જીવનનિર્વાહ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, પણ આવા પરિવારોના ઝૂપડા હટાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજથી 11 મહિના અને 18 દિવસ પહેલા અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, તેમ છતાં આજદીન સુધી આ સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવ્યું નથી, જેને લઇને ગુજરાત વાલ્મીકી સંગઠનના આગેવાન લાલજી ભગતની આગેવાનીમાં માલપુર નગરમાં રેલી યોજવામાં આવી હતી.

Advertisement

Advertisement

જો તમે ગરીબ છો તો કોઇ નહીં સાંભળે તમારી વાત, તે વાત સ્પષ્ટ થતી હોય તેવું લાગ્યું…
11 મહિલા પહેલા આપેલ આવેદન પત્રનું નથી કોઇ મૂલ્ય…!!
કલેક્ટર કચેરી બહાર ભજન કીર્તન કરવા છતાં તંત્રએ ન સાંભળી વાત..!!
ગરીબ પરિવારને ન્યાય ક્યારે મળશે તે એક સવાલ

Advertisement
એક વર્ષ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપવા છતાં કોઇ જ નિરાકરણ નહીં, આવેદનનો અર્થ શું… ?
અરવલ્લી જિલ્લામાં વર્ષો દહાડે અનેક લોકો પોતાની રજૂઆત તેમજ તેઓ સાથે થતાં અન્યાયને લઇને આવેદન પત્રો આપવામાં આવતા હશે, પણ આવા આવેદન પત્રોનું શું થતું હશે તે એક સવાલ છે. આવેદન પત્રો અંગે વિચાર અથવા તો ચર્ચા થતી હશે ખરી તે સવાલ એટલા માટે થાય છે કારણ કે, અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં ભરથરી સમાજના ઝૂંપડા હટાવવાને લઇને આજથી 11 મહિલા અને 18 દિવસ પહેલા એટલે કે, 27 જુલાઈ 2021 ના રોજ ન્યાયની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, અને ભરથરી સમાજને ધમકીઓ આપીને જગ્યા ખાલી કરાવવા બાબતે રજૂઆત કરી હતી, આ માટે કલેક્ટર કચેરીએ ભરથરી સમાજના પરિવારોએ ભજન-કીર્તન કરી ઝૂંપડાં બચાવવા વહીવટી તંત્ર પાસે મદદ માંગી હોવાની સાથે જગ્યા ખાલી કરવા પૂર્વ ભાજપના મહિલા ધારાસભ્ય ભીખીબેન પરમાર અને તેમના પતિ દ્વારા ઝુંપડા ખાલી કરી જગ્યા છોડી દેવા માટે ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
File
પૂર્વ ધારાસભ્ય ભીખીબહેન પર જમીન ખાલી કરાવવા હેરાનગતિનો આક્ષેપ
ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભાગતે જણાવ્યું કે, માલપુરમાં ભરથરી સમાજના લોકો છેલ્લા 20 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. લાલજી ભગતે આક્ષેપ કર્યો કે, પૂર્વ ધારાસભ્ય ભીખીબહેનના ટ્રસ્ટ દ્વારા આવા પરિવારોને હટાવવા માટે વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે અને અરજીઓ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, આવા ગરીબ પરિવારોને હટાવવા માટે પ્રયાસો થતાં અનેકવાર કલેક્ટર તેમજ મામલતદાર કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી અથવા તો નિરાકરણ આવતું નથી. આવા ભારે વરસાદની ઋતુમાં ગરીબ પરિવારોને કેમ હટાવવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠાવ્યા છે.
સાંભળો પીડિત પરિવારોની વેદના…
કેમ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરાતી ?
વારંવાર જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવવા છતાં કોઇ જ કાર્યવાહી કે નિરાકરણ નહીં આવતા હવે સવાલ એ થાય છે કે, આવેદન પત્ર આપવાથી કંઇ ફાયદો થાય છે કે પછી આવેદન પત્રો માત્ર ફાઈલમાં બંધ થાય છે તે પણ એક સવાલ છે. કારણ કે, ભરથરી પરિવારોએ એક વર્ષ અગાઉ આવેદન પત્ર આપી કલેક્ટર કચેરી બહાર ભજન કિર્તન કરીને તંત્રને આજીજી કરી હતી, પણ આક વર્ષ પછી ગરીબ પરિવારોને હેરાનગતિ કરવામાં આવી રહી છે, ત્યારે આવા પરિવારોને ન્યાય ક્યારે મળશે તે એક સવાલ છે. આ બાબતે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી અને આ સમસ્યાના નિરાકરણ માટે કેમ કોઇ ચર્ચા નથી થતી તે સવાલ છે.

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!