37 C
Ahmedabad
Friday, April 19, 2024

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યાં ઘરમાં પણ તોડફોડ થઈ


બાંગ્લાદેશમાં હિંદુઓ પર ફરી હુમલો કરાયો છે આ સાથે મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. આ મામલો એક હિન્દુ છોકરા દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત હોવાની વિગતો મળી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીથી ઘણા મુસ્લિમ સંગઠનો નારાજ થયા હતા.

Advertisement

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં નારેલના લોહાગરા વિસ્તારમાં હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે એક ઘરને પણ આગ લગાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ એક મંદિરમાં પણ તોડફોડ કરી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલો એક હિન્દુ યુવક દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત છે. યુવાનોએ કરેલી પોસ્ટથી રોષે ભરાયેલા ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કર્યો હતો. ફેસબુક પોસ્ટ કરનાર યુવકના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું અને તેને આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું.

Advertisement

હજુ સુધી ધરપકડ કરી નથી
ત્યાંના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળી રહેલી વિગતોમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!