દિલ્હી થી મુંબઈ ને જોડતો અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ મંથર ગતિએ ચાલી રહ્યું છે સિક્સલેનની કામગીરીમાં
શામળાજી નજીક ડુંગરો કોતરીને હાઇવે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યસ્વ્સ્થા ન ગોઠવતા વરસાદી પાણી શામળાજીમાં ઘુસી જતા મકાનો અને બજારોમાં ઘુસી જતા વેપારીઓની હાલત કફોડી બની છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહિ ગોઠવાય તો વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી
હવામાન વિભાગે ગત રોજ આગામી 24 કલાકમાં અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા ડુંગરોના પાણી શામળાજી ગામમાં ફરી વળ્યું હતું નીચાણવાળા વિસ્તારોમાં ગરીબ પરિવારોના ઘરોમાં પાણી ઘુસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શામળાજી બજારમાં આવેલી દુકાનો પાણી પાણી થઇ ગઈ હતી દુકાનોમાં રહેલ માલસામાન અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચતા તંત્રના ભોગે વેપારીઓને લાખ્ખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડતા વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
શેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ