સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવે લોકોને રડાવ્યા..!!
ભારે વરસાદના કારણે શાકભાજીની અછત ઊભી થતા તમામ શાકભાજી થયા મોંઘાAdvertisement
હિંમતનગર શાકમાર્કેટમાં આજરોજ શાકભાજીના ભાવ એકાએક વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારી નો ભાર દિવસે દિવસે વધતો જાય છે તેમ લાગી રહ્યું છે. તો છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને નુકસાન થયા હોવાથી ખેડૂતો દ્વારા શાકમાર્કેટમાં શાકભાજી નો વેચાણ ન કરી શકતા હોવાથી માર્કેટમાં શાકભાજીના અછત ઊભી થતાં ભાવ અચાનક જ વધી ગયા છે. જેમાં દરેક શાકભાજીનો ભાવ ₹100 કિલો થી ઉપરના ભાવે વેચાણ થઈ રહ્યું છે જેને લઈને ગૃહિણીઓ માં મૂંઝવણ ઊભી થઈ છે.
કુદરતી આફત તેમજ આ પ્રકારની ની આફતોની અસર હાલ જન જીવન પર થઈ રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે.
આમ તો તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે હવે શાકભાજી પણ મોઁઘી થતા લોકો નુ બજેટ ખોરવાયુ છે અને હજુ પણ થોડા દિવસો સુઘી ભાવ વધારો આમ લોકોને સહન કરવો પડે તેમાં નવાઈ નહિ.
ભાવ પ્રતિ એક કિલો
કંકોડા- 150 થી 200
ગવાર- 100 થી 120
વાલોડ- 100 થી 120
ચોળી- 100 થી 120
પાપડી- 100 થી 120
વટાણા- 100 થી 160
ફણસી- 100 થી 120
ભીંડા- 100 થી 120
ફુલાવર- 80 થી 110
ધાણા- 100 થી 140
કોબિજ- 70 થી 80
ટામેટા- 50 થી 60
દુધી- 40 થી 50
રીંગણ- 30 થી 40