ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. હાલ રેવડી નામનો શબ્દ ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. પ્રધાનમંત્રીએ રેવડી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક છે. ત્યારે આ શબ્દ પર હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અરવિંદ કેજરીવાલે રેવડી શબ્દ પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, મફતની રેવડે તે ભગવાનનો પ્રસાદ છે.
ગુજરાતની મુલાકાતે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતમાં નિ:શુલ્ક રેવડી આપવી એટલે સારી હોસ્પિટલ બનાવવું, શાળાઓ બનાવવી, મફત શિક્ષણ અને મફત સારવાર કરવી અને લોકોને મફતમાં વીજળી આપવી. પણ જે લોકો તેમના મિત્રોને મફતમાં રેવડી આપે છે તે પાપ છે.
સાંભળો શું કહ્યું અરવિંદ કેજરીવાલે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં મફતમાં પૂરી પડાતી સુવિધાઓના રાજકારણ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ ‘રેવડી કલ્ચર’ દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક છે. આ રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ અથવા ડિફેન્સ કોરીડોર નહીં બનાવે. તેમને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડીઓ વહેંચીને ખરીદી લેવાશે. આપણે તેમના આ વિચારોને હરાવવાના છે. ત્યારબાદ રેવડી મુદ્દે ગરમાવો આવી ગયો હતો.