એસ.ટી. બસના અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં એકસાથે 2 એસ.ટી. બસના અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 2 વિદ્યાર્થિની જ્યારે 1 એસ.ટી.ના કર્મચારીને ઇજાઓ પહોંચી હતી.
મેઘરજના બેડજ પાટિયા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જ્યાં મોડાસાથી મેઘરજ તરફ જતીં બસને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. એક એસટી બસ મુસાફરો ઉતારવા ઉભી હતી. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક એસટી બસે ટક્કર મારતાં આગળની બસમાં બેઠેલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. બસની પાછળની સીટ પર બેઠેલી વિદ્યાર્થીઓનિઓની ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે એસ.ટીના કર્મચારીને મોડાસા ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા.
અકસ્માતની ઘટનામાં મોટી દુર્ઘટના ટીળી હતી. ઘટનાની જાણ થતાં આસાપસાન લોકો દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લામાં અકસ્માતની છાશવારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એસ.ટી.બસને અકસ્માત નડતા એસ.ટી. બસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. છાશવારે બસને નડતા અકસ્માતને લઇને એસ.ટી.અમારી સલામત સવારીના સુત્ર પર સવાલો મુસાફરોએ ઉઠાવ્યા હતા