28 C
Ahmedabad
Friday, March 29, 2024

કોંગ્રેસમાં રોષ : સરકારની એજન્સીઓ સમન્સને લિઇને અમદાવાદના સરદારબાગ ખાતે વિરોધ પ્રદર્શન


કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો – આગેવાનોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેપર ફૂટે પ્રશ્ન ન પૂછો, મોંઘવારી સતત વધે પ્રશ્ન ન પૂછો, રૂપિયાનું સતત ધોવાણ થાય તો પણ પ્રશ્ન ન પૂછો, વેપાર ધંધા પડી ભાંગે પ્રશ્ન ન પૂછો, ખેડૂત આંદોલન ન કરે, બેરોજગાર આંદોલન ન કરે, મહિલાઓ આંદોલન ન કરે, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર માટે બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે.સતત જનતાના અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતાશ્રીના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી. ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષ સામાન્ય – મધ્યમવર્ગ, શોષિત – વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.

Advertisement

નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે ? કોંગ્રેસ પક્ષ એ ગાંધી – સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં.

Advertisement

ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી અમિત ચાવડા, શ્રી સિધ્ધાર્થ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી જીજ્ઞેશ મેવાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, દંડકશ્રી ડૉ. સી.જે. ચાવડા, સીનીયર ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, શ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રાજેશભાઈ ગોહિલ, શ્રી બળદેવજી ઠાકોર, વરિષ્ઠ નેતા ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી રાજુભાઈ પરમાર, શ્રી સત્યજીત ગાયકવાડ, શ્રી બિમલ શાહ, શ્રી પંકજ શાહ, ડૉ. મનિષ દોશી, શ્રી બળદેવ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ગુલાબખાન રાઉમા, શ્રી અશોકભાઈ પંજાબી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પો.કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શેહજાદખાન પઠાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલા, એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં. સત્યાગ્રહ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, પદાધિકારીશ્રીઓ મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., સેવાદળ તેમજ ફ્રન્ટલના હોદ્દેદારશ્રીઓએ ભાજપ-મોદી સરકારની કિન્નાખોરીની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!