કહેવાય છે ને કુદરત જયારે પણ રૂઠે છે ત્યારે વ્યકતિના મન પણ ડગે છે પણ કેટલાક વ્યકતિઓના મને જાણે વિચારશીલ હોય તેવી રીતે નજેવી બાબતને પોતાના મનમાં જાણે એ બાબતો ગરકાવ કરી ગઈ હોય તે રીતે મન પર લઇ આડુંઅવરુ પગલું ભરતા હોય છે અને અંતે પોતાનું જીવન ગુમાવવા નો વારો આવતો હોય છે તેવીજ ઘટના સામે આવી છે અરવલ્લી ના મેઘરજ તાલુકાની
મેઘરજ તાલુકાના શાંતિપુરા ગામે એક પરિવારમાં પોતાના સાત દીકરા સાથે જીવન ગુજરાતો હતો જેમાં એક પુત્ર નું મૃત્યુ થયેલ હતું અને છ પુત્રો જીવન ગુજારી રહ્યા હતા જેમાં છ પુત્રમાંથી એક પુત્ર નરેશભાઈ નવજીભાઈ ખરાડી ઉંમર ચાલીસ વર્ષ જે તારીખ 20 ના રોજ સાંજે પોતાના ઘરના પ્રથમ ખંડમાં દોરિયાના લાકડાં સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવક મળી આવ્યો હતો જે બાબતે પરિવાર સગા સબન્ધીઓ અને કુટુંબીજનો એ આ બાબતે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર યુવક પોતાના પરિવાર અને સંતાનો સાથે જીવન ગુજારી રહ્યો હતો તેવામાં નજેવી બાબતે છ ભાઈઓ વચ્ચે ઘરના ના નારિયા ઉતારી વિભાજન કરવા ની બાબતે બોલાચાલી થયેલ જે બાબતે મરણ જનાર નરેશભાઈ ને અચાનક આ બાબત મનમાં જાણે ઘરકાવ કરી ગઈ હોય તેમ મન પર લઈ લીધી અને જો ભાગ પડશે તો આ ચોમાસાની સીઝનમાં પોતાના સંતાન ને લઇ ક્યાં જઈશ એ બાબત મન પર લઇ દુઃખ લાગી આવતા કે કોઈ અગમ્ય કારણો સર પોતાના ઘરના ખંડમાં દોરિયાના લાકડાં સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જે બાબતે પોતાની પત્ની એ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ અરજી આપી હતી જેમાં ઇસરી પોલીસ ઘટના સ્થળે પોહચી પંચનામું કરી યુવકની લાશને ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવામાં આવી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી