33 C
Ahmedabad
Thursday, April 25, 2024

શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, બની જશે બગડેલા કામ


શનિવારના દિવસે વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાનજી આ કળિયુગમાં જાગૃત દેવતા છે અને અજર અમર છે. હનુમાનજી એ લોકોમાંથી છે જે ભગવાન શ્રી રામને પ્રિય હોય. માટે જ્યાં ભગવાન રામનો વાાસ હોય ત્યાં હનુમાનજી હાજરા-હજુર હોય. હનુુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. આવો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો…..

Advertisement
ઘીની જ્યોત પ્રગટાવો
સૌથી પહેલા તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંદિરમાં ઘીની જ્યોત પ્રગટાવો. ઘીની જ્યોત પ્રગટાવ્યા પછી, રામ ભક્ત હનુમાનજીનું આહ્વાન કરો અને વધુને વધુ ધ્યાન કરો….
હનુમાન ચાલીસાનો પાઠ કરો
મહાબલી હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આજે એકથી વધુ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો….
હનુમાનજીને પ્રસાદ ચઢાવો
આજે હનુમાનજીને ભોગ અર્પણ અવશ્ય કરો. તમે ઇચ્છો તે કંઈપણમાં વસ્થતુઈ શકો છો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે….

Advertisement
રામ નામનો જાપ કરો
હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે ભગવાન શ્રી રામના નામનો જાપ કરવો. એવી માન્યતા છે કે જ્યાં રામ નામનું સંકીર્તન થાય છે ત્યાં હનુમાનજીનો વાસ હોય છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા રામ નામનું સંકીર્તન કરો. તેનાથી ચોક્કસ હનુમાનજી પ્રસન્ન થશે…

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!