અરવલ્લીના પ્રકૃતિના સાંનિધ્યમાં અને કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મ ભૂમિમાં કાર્યરત શ્રી બામણા પુનાસણ મધ્યસ્થ સ્કૂલ કેળવણી મંડળ, મુંબઈ સંચાલિત સ્વ.એસ.એચ.જોષી અને બી.કે. જોષી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બામણામાં કવિ શ્રી ઉમાશંકર જોશી સ્થાપિત “ગંગોત્રી ટ્રસ્ટ – ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર”, અમદાવાદ તરફથી 21 જુલાઈ 2022 ના કવિ શ્રી ના જન્મ દિને બામણા કોલેજમાં ગંગોત્રી ટ્રસ્ટના નિયામક શ્રી અને કવિ શ્રીની વિદુષી દીકરી સ્વાતિબેન જોશી,સર્જક મનીષ જાની, સર્જક પ્રાગજીભાઈ ભાંભી, પૂર્વ પ્રમુખ ચીમનભાઈ પંડ્યા, કોલેજ જમીન દાતા અરવિંદભાઈ જોષી,દિનેશભાઈ પરમાર, કોલેજ પ્રિન્સિપાલ ડૉ.કલ્પનાબેન પટેલ, શાળાના આચાર્ય ગોવિંદભાઈ પટેલ, તેમજ વિવિધ કોલેજના અધ્યાપક, નિબંધ સ્પર્ધક વિદ્યાર્થીઓ, શાળા-કોલેજના સર્વે સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં કવિ શ્રી ઉમાશંકર જોશી જીવન પરિચય, કવિ રચિત કૃતિઓનું કાવ્ય ગાન, સર્જકો કવિ પ્રતિ વ્યાખ્યાનો, નિબંધ સ્પર્ધક વિદ્યાર્થીઓને ઈનામ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુર્ધન્ય કવિવર ઉમાશંકર જોશીના જન્મ દિનની ઉત્તમ કાવ્ય રચનાઓ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ભીખાભાઈ પટેલે કર્યું આભાર દર્શન આચાર્ય ગોવિંદભાઈ પટેલે કર્યું.