36 C
Ahmedabad
Friday, March 29, 2024

પંચમહાલમાં ગોપાલ ઇટાલિયાની હૂંકાર, પરિવર્તન માટે રાહ જોતી જનતા, 150 થી વધારે લોકો AAP માં જોડાયા


પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા શહેરમાં જનસંવાદ કાર્યક્રમ સુથાર લુહાર સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાજી તથા અતિથિ વિશેષ તરીકે પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયાએ જન સંવાદ સભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે ગુજરાતની જનતા ભ્રષ્ટ ભાજપના શાસનથી અને અયોગ્ય નીતિઓથી પરેશાન થઈ ગઈ છે. ભાજપની અયોગ્ય નીતિઓથી લોકોનું આર્થિક જીવન ધોરણ ખુબ નીચું જઈ રહ્યું છે અને જનતા આવી નીતિઓનો ભોગ બની રહી છે જ્યારે દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર સામાન્ય જનતાના આર્થિક જીવન ધોરણને ઉંચુ લાવવા તથા મદદ રૂપ થવા સારી સારી યોજનાઓને અમલમાં મૂકી છે તેથી દેશના તમામ રાજ્યોની જનતા આમ આદમી પાર્ટીની સરકાર ઇચ્છે છે. કેજરીવાલ ગુજરાતમાં 300 યુનિટ વીજળી આપવાની જાહેરાત કરી છે તેથી ભાજપને કરંટ લાગ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી 172 જેટલા ભાજપ, કોંગ્રેસ અને એમઆઇએમ ના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!