પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના છે ત્યારે તડામાર તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ પહેલા ગયા સપ્તાહે પીએમ મોદી સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચવાના હતા જોકે ભારે વરસાદને કારણે કાર્યક્રમની તારીખ બદલી દેવામાં આવી હતી. હવે પીએમ મોદી આગામી 28 જુલાઈના રોજ હિંમતનગરના ગઢોડા ખાતે અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ પહેલા લોક ડાયરો સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે ત્યારે લોક ગાયિકા ગીતા રબારી પણ આ કાર્યક્રમમાં પહોંચવાના છે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો સંયુક્ત કાર્યક્રમ હોઇ પીએમ મોદી જિલ્લાની જનતાને સંબોધન કરવાના છે ત્યારે બંન્ને જિલ્લાના લોકો પીએમ મોદીના કાર્યક્રમમાં પહોંચે તે માટે લોક ગાયિકા ગીતા રબારીએ લોકોને અપીલ કરતો સંદેશ આવ્યો છે. સાંભળો શું કહ્યું ગીતા રબારીએ…