વડાપ્રધાન નરેન્દ્રમોદીની સાબરકાંઠાની મુલાકાતને લઈ તંત્રની તડામાર તૈયારીઓ
ગુજરાતના સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા સહિત વહીવટીતંત્રએ સભા સંબોધન જગ્યા ની લીધી મુલાકાત.
ભારતના પ્રધાનમંત્રી આગામી 28મી જુલાઈએ સાબર ડેરીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાતના સહકાર મંત્રી સહિત વહીવટી તંત્રએ સાબર ડેરી તેમજ સભા સ્થળ ની મુલાકાત લઈ જરૂરી સલાહ સૂચન આપી હતી તેમજ આગામી સમયમાં સાબરકાંઠાના પશુપાલકો ની આવક બમણી થાય તેવી સંકલ્પના પણ રજૂ કરી હતી
સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વહીવટી તંત્ર સહિત મુલાકાત લીધી હતી તેમજ આગામી 28 જુલાઈએ પ્રધાનમંત્રી જ્યારે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરીમાં 1000 કરોડથી વધારે ના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુરત કરવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લાના પશુપાલકોની આવક બમણી થાય તેવી સંકલ્પના રજૂ કરી હતી સાથોસાથ પ્રધાનમંત્રી ના સ્વપ્ન સમાન પશુપાલકોની તેમજ ખેડૂતોની આવક બમણી કરવાની નેમ ને સાબર ડેરીમાં થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટરનું લોકાર્પણ તેમજ ખાતમુરતના પગલે વેગ મળશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જોકે આ તબક્કે સાબર ડેરીના ચેરમેન સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે ત્યારે વહીવટી તંત્ર ને વિવિધ સલાહ સૂચન પણ આપ્યા હતા.