બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડને લઇને રાજનીતિ શરૂ થઇ ચુકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ હાઈકોર્ટના સીટિંગ જજ હેઠળનું પંચ બનાવી તપાસની માંગ કરી છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે આ તો એકદમ ઝટકો આપીને 31 લોકોને આપણી વચ્ચેથી છીનવી લીધા છે, પરંતુ આ લઠ્ઠાકાંડનું ધીમું ઝેર સમગ્ર ગુજરાતમાં ફેલાવીને ગુજરાતના યુવાનોને નશાને લત લગાડવાનું કાવતરૂ છે. એલએસડી હોય, દવા હોય કે પછી લઠ્ઠો હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય આ બધું જ રોજે રોજ વેચાય છે, એટલું જ નહીં ગુજરાતના દરિયાકાંઠા અંદર 1.5 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ એન્ટ્રી પોઇન્ટ અને હબ ગુજરાત બન્યું છે લઠ્ઠાકાંડ રોજની ઘટના છે.
રાજ્ય સરકારને અર્જુન મોઢવાડિયાએ વિનંતી કરી હતી કે હાઇકોર્ટના સીટિંગ જજ હેઠળનું પંચ બનાવે, એની પેનલનો ત્રણ મહિનાની અંદર જ આ લઠ્ઠાકાંડનો અહેવાલ આપે અને એના આધારે ભવિષ્યની અંદર નશાબંધી જે નીતિ છે, તે પુન:વિચારણા કરે અને મજબૂત બનાવે, ગુજરાતની જનતાને આ નશાખોરીમાં ધકેલવાનું કાર્ય છે, તે બંધ કરે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી પેરેલ નશાની ઇકોનોમિક ચાલી રહી છે, અને તેનો વેપાર છે મિનિમમ બે લાખ કરોડ વાર્ષિક વેપાર થાય છે તેની ગેરકાયદેસર કમાણી ની અંદર વહીવટી તંત્ર તથા ભારતીય જનતા પાર્ટીના ઉચ હોદ્દેદારો અને ગાંધીનગરમાં બેઠેલા હોદ્દેદારો ના લાભાર્થી છે તપાસ પંચ દ્વારા આવા લોકોને શુ ભૂમિકા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોને શું ભૂમિકા હતી તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગણી અર્જુન મોઢવાડિયા કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ અને અમદાવાદ જિલ્લમાં કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં કુલ 31 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.