36 C
Ahmedabad
Thursday, April 25, 2024

માલપુર મામલતદારનો રાજાશાહી હુકમ…!!! ટ્વીટર પર ફોલોઅર્સ વધારવા આદેશ કરતા ચર્ચાના ચગડોળે ચઢ્યા…


અરવલ્લી જિલ્લામાં હાલ અધિકારીઓ ચર્ચાઓમાં આવી રહ્યા છે, પહેલા આર.ટી.ઓ. વિભાગ, ત્યારબાદ ખાણ-ખનીજ વિભાગ અને હવે માલપુર મામલતદાર ચર્ચાઓમાં આવી ગયા છે, તેમના એક હુકમથી ચારેકોર ટીકાઓ થઇ રહી છે, રેવન્યુ તલાટીને લેખિતમાં આદેશ કરતા જણાવ્યું છે કે, મામલતદાર કચેરીના ટ્વીટર પર રોજના 10 ફોરઅલર્સ વધારવા અને જો કોઇ અનફોલો થાય તો તેની સામે 10 ફોલોઅર્સ વધારવાનો આદેશ કર્યો છે. માલપુર મામલતદારના આ આદેશથી સમગ્ર ગુજરાતમાં સહિત દેશના સમાચારોની હેડલાઈન્સમાં આવી ગયા છે.

Advertisement


વિગત એવી છે કે, માલપુર મામલતદારે રેવન્યુ તલાટીને લેખિતમાં એક આદેશ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, માલપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીએ માલપુર મામલતદારના ટ્વીટર પર દરરોજ 10 ફોલોઅર્સ વધારવાના છે.  એટલું જ નહીં આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે તારીખે કોઇ યુઝર્સ અનફોલ કરે તો તેની સામે 10 ફોલોઅર્સ વધારવા. ટ્વીટર પર ફોલોઅર્સ વધારવા માટેનો લક્ષ્યાંક આપતો આદેશ મામલતદારે રેવન્યુ તલાટીને આપ્યો છે. પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી એવું વિગતો સામે આવી છે કે, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આ આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!