અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અનેક ગામડાઓમાં મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે મોડાસા તાલુકાના મુલોજ ગામમાં સ્મશાનમાં જવા માટે રસ્તાનો અભાવ હોવાથી ચોમાસાની ઋતુમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો મૃતદેહને સ્મશાને લઇ જતા જતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મુલોજ ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અમરાજી ખાતુજી વિસાતનું મોત થતા તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા કેડ સમા પાણીમાંથી પસાર થવું પડતા અંતિમવિધિમાં જોડાયેલ લોકો જીવતે જીવતે તો મારગ ન મળ્યો પણ મરતે મરતે પણ મારગ ન મળ્યો તે ન મળ્યો કહીં રહ્યા હતા.
જુઓ ડાઘુઓ કેવી રીતે લાકડા પહોંચાડી રહ્યા છે..
અરવલ્લી જિલ્લાના કેટલાય અંતરિયાળ ગામડાઓ તો હજુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. જિલ્લામાં જો ભારે વરસાદ થઈ જાય તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થાય છે.આવા ગામડાઓ તરફ તંત્રનું ધ્યાન પણ જતું નથી અને સમસ્યાઓ જેમની તેમ જ રહે છે. મુલોજ ગામમાં રસ્તાની સુવિધા નહી હોવાથી લોકો ખેતરોમાંથી પસાર થઇને સ્મશાન સુધી જાય છે. શિયાળા અને ઉનાળામાં તો રસ્તો ખુલ્લો હોય છે પણ ચોમાસામાં વરસાદ પડે ત્યારે કાચો રસ્તો કીચડમય બની જાય છે. ગામલોકોએ જણાવ્યું કે, વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી.
મુલોજ ગામમાં કોઈ સ્વજનન મૃત્યુ થાય ત્યારે ગામલોકોની ભારે દયનિય સ્થિતિ થઈ જાય છે. ગામના પાણીમાં ડૂબેલા રસ્તા પરથી જળમાર્ગે અંતિમયાત્રા કાઢવાનો વારો ડાઘુઓને આવે છે ત્યારે ગામડાઓમાં પણ વિકાસના પડછાયા પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.