ઈડરની ગીરીકંદરાઓ વરચે આવેલા કણ્વનાથ મહાદેવ મંદીર ખાતે ભક્તો એ શિવાલય ઉપર બિલી પત્ર પાણી નો જળાભિષેક કરી મહાદેવ નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ સુદ એકમથી સરું થયેલા શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવ ને રીઝવવા આવતા હોય છે મહાદેવ નાં વિવિઘ મંદીરોમાં પૂજારી અને બ્રાહ્મણો દ્રારા મંત્રોચાર કરી શિવાલયોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે શ્રાવણ માસ માં ભક્તો મહાદેવ ને બિલીપત્ર,પાણી,મગ,ફૂલ,કંકુ, સિંદૂર, ચંદન ચડાવી મહાદેવ ને રીઝવતા હોય છે શ્રાવણ માસ એકમથી શ્રાવણ સુદ અમાસ એમ એકમહિના સુઘી ભક્તો મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોમાં પણ શ્રાવણ માસનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે ઈડરનાં ડુંગરો ચોમાસાની ઋતુમાં જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા નજારા વરચે અને પ્રકૃતિના ખોળે આવેલું શ્રી કર્વનાથ મહાદેવ મંદીર ખાતે પણ શ્રાવણ માસનાં પહેલાં દીવસે પૂજારી અને ટ્રસ્ટી મંડળ તેમજ ભક્તો દ્વારા મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અહીંયાં આવતાં ભક્તો માંટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદી રૂપે ફરાર નું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચોમાસા ની ઋતું માં ઈડરિયા ગઢે લીલી ચાદર ઓઢી હોય તેમ હરિયાળા ડુંગરોની વરચે આવેલા શ્રી કર્વનાથ મહાદેવનાં દર્શને આવતાં ભક્તો માં લીલી વનસ્પતિ આકર્ષણ નું કેન્દ્ર બની છે ત્યારે આ ઋષિ મુનિ ઓએ કરેલ તપસ્યા નાં ધાર્મીક સ્થળ ખાતે આજે પણ અનેક પૌરાણિક સ્થળો જીવીત છે અને ભક્તો આ સ્થળ ની મુલાકાત લઈ આનંદમય બનતા હોય છે.