અરવલ્લી જિલ્લાના અંતરિયાળા વિસ્તારોમાં લોકોની સમસ્યાઓ હલ થવાને બદલે હજુ વિકટ બનતી હોય તેવું લાગે છે. અભ્યાસ કરવા જતાં બાળકોનો શું વાંક, પણ હવે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક માર્ગ મકાન વિભાગ તેમજ બાંધકામ વિભાગના આશીર્વાદથી બાળકો પરેશાન થઇ રહ્યા છે, પણ કોણ જાણે અધિકારીઓને કેમ કંઇ ચિંતા નથી તે એક સવાલ છે.
ભિલોડા તાલુકા ના જેશીંગપુર ગામે નદી પસાર કરવા માટે સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યા છે. જેશીંગપુર ગામે આવેલા દામા ફળિયા વચ્ચે એક નદી આવે છે, જ્યાંથી સ્થાનિક લોકોએ પાણીમાં ઉતરી નદી પસાર કરવી પડે છે. ચોમાસાના સમયે ઘણી જ તકલીફ પડે છે પણ અહીં કોઇ જવા આવવા તૈયાર નથી.
જેશીંગપુરમાં દામાં ફળિયા ના 50 ઘર ની વસ્તી ના લોકો અને નાના મોટા વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે શાળા-કોલેજ માં જવા માટે આ બે ગામ વચ્ચે આવેલ નદી પાર કરી જવું પડે છે. સમાન્ય દિવસોમાં અહીં વાંધો નથી આવતો પણ ચોમાસા ના સમયે નદી માં ભારે પાણી આવી જાય છે. આ સમયે વિદ્યાર્થીઓની અવર-જવાર બંધ થઈ જાય છે. પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે કે, કમર સુધી પાણી પહોંચી જાય છે, જેથી જીવના જોખમે નદી પસાર કરવી પડતી હોય છે. આ ટૂંકો રસ્તો હોવાથી ગ્રામજનો અહીંથી જ પસાર થાય છે, જો બીજા ગામમાંથી જાય તો અંદાજે 10 કિ.મી ફરીને જવું પડતું હોય છે. જેશીંગપુર અને જેશીંગપુર દામાં ફળિયા વચચે આવેલ નદી પર પુલ બનાવવા માં આવે એવી વિદ્યર્થીઓ ની માગ છે.
સબ સલામત અને સબ સહી હૈ ના દાવા કરતું તંત્ર ક્યારે અહીં પહોંચશે તે એક સવાલ છે ત્યાં સુધી તો સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો તો કરવો જ રહ્યો તેવું સ્પષ્ટ લા છે. સ્થાનિક લોકો બાળકોની ચિંતા કરનાર અને તેઓની તકલીફ કરનાર લોકોને શોધી રહ્યા છે, જેથી તેઓની સમસ્યાનું નિરાકરણ આવી શકે.