સ્વ.એસ.એચ.જોષી એન્ડ બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,બામણામાં એન.એસ.એસ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ.કે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રો. ઓફિસર. ડૉ.એન.આર.જોષી એ કર્યું હતું.કાર્યક્રમમાં મંડળના પૂર્વ પ્રમુખ ચીમનલાલ પંડ્યા,ભાનુભાઇ ભટ્ટ, કોલેજનો અધ્યાપક ગણ અને વહીવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં 200 થી વધુ રોપા વાવવામાં આવ્યા અને તેની માવજત માટેની ટેક લીધી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Advertisement
Advertisement