સ્માઈલ લાઈફ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને દયા ફાઉન્ડેશનના ઉપક્રમે માલપુરના અંબાવા ગામે એક દિવસીય પ્રકુર્તિ શિક્ષણ શિબિર અને ટ્રેકિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50થી વધુ સંખ્યામાં શિબિરાર્થીઓએ હાજરી આપી હતી આ શિબિરમાં શિબિરાર્થીઓને વિવિધ સાપ તેમજ વનસ્પતિ વિશે માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ કોટડ તાહીર ધનસુરીયા ધવલ પટેલ, આકાશ પ્રજાપતિ, મિહિર ચૌધરી, જગદીશ રાણા તેમજ દિપાશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું દર વર્ષે શિબીરનુ આયોજન કરવા શિબિરાર્થીઓએ વિનંતી કરી હતી.
આ સાથે જ શિબિરાર્થીઓ દ્વારા અંબાવાના ડુંગર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા