મેરા ગુજરાત, શહેરા
Advertisement
શિવની ભક્તિ અને આરાધનાનો સમય તેટલે શ્રાવણ મહિનો.પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શહેરા તાલુકામા આવેલા વિવિધ શિવમંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.પાલીખંડા ગામે આવેલા સ્વંયભુ ગણાતા અને પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે ખાતે પણ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.આ પૌરાણિક શિવાલયનો અનેરો મહિમા છે.તેના દર્શનનો લાભ લેવા માત્ર પંચમહાલ નહી પણ અન્ય જીલ્લાઓમાથી પણ ભાવિકો ઉમટી પડ્યા હતા. સાથે સાથે બિલિપત્ર ચઢાવીને જળનો અભિષેક કર્યો હતો.આ સિવાય શહેરા નગરમા આવેલા અન્ય શિવાલયોમા પણ ભાવિકો ઉમટી પડ્યા હતા.અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
Advertisement
Advertisement