Indian Navy MR Recruitment 2022: ભારતીય નૌકાદળમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અગ્નિપથ યોજના હેઠળ નેવીમાં અગ્નિવીર બનવાની સુવર્ણ તક સામે આવી છે. નેવીમાં અગ્નિવીર MR (Indian Navy Agniveer MR Recruitment 2022) ની ભરતી માટેની અરજીની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ, 2022ના રોજ સમાપ્ત થશે.
સત્તાવાર સૂચના મુજબ, ઉમેદવારો માટે કુલ 200 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં MR સ્ટુઅર્ડ, MR શેફ અને MR હાઈજિનિસ્ટની જગ્યાઓ માટે મહિલા ઉમેદવારો માટે 40 ખાલી જગ્યાઓ છે. અવિવાહિત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો કે જેમણે તેમની મેટ્રિક પરીક્ષા અથવા 10મું પાસ કર્યું છે અને 1લી ડિસેમ્બર 1999 અને 31મી મે 2005 વચ્ચે જન્મેલા છે તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા 30 જુલાઈ 2022 હતી પરંતુ હવે તે 1 ઓગસ્ટ 2022 છે.
NAVY MR Recruitment 2022: કેવી રીતે અરજી કરવી
નેવીમાં અગ્નિવીર તરીકે અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ joininidiannavy.gov.in ની મુલાકાત લેવી પડશે.
હોમપેજ પર તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી લોગીન કરવું પડશે.
– અગ્નિવીર માટે અરજી કરવા માટે – તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
અહીં તમારે શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ જેવી માહિતી ભરવાની રહેશે.
અંતે અરજી ફી ભરીને ફોર્મ જમા કરાવવાનું રહેશે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં, ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ લાયકાત પરીક્ષા (10મી) માં મેળવેલ કુલ ટકાવારી ગુણના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પછી લેખિત કસોટી અને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. લેખિત કસોટી અને શારીરિક કસોટી માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષા અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે તૈયાર કરવામાં આવશે. નેવી દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2022 સુધીમાં મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 17 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.