27 C
Ahmedabad
Friday, March 29, 2024

Mane Lai Ja : ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ હિંમતનગરની મુલાકાતે


ગુજરાતી ફિલ્મ ‘મને લઈ જા ‘ ના કલાકારો ફિલ્મના પ્રોમોશન માટે હિંમતનગર સ્ટાર સિટીની મુલાકાતે
અનાથ બાળકોને દત્તક લેવા અંગે માર્ગદર્શન આપતી ગુજરાતી ફિલ્મ જલ્દી થશે રિલીઝ

Advertisement

4 ઓગસ્ટના રોજ રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મ ‘મને લઈ જા’ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મના સ્ટારકાસ્ટ આજરોજ હિંમતનગર સ્ટાર સીટી ખાતે ફિલ્મના પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા.જ્યારે ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટ નિરંજનભાઈ શર્મા દ્વારા પત્રકાર પરિષદ યોજવામા આવી હતી.

Advertisement

આ અંગે ફિલ્મના ડિરેક્ટર નિરંજન ભાઈ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ફિલ્મ અનાથ બાળકોને દત્તક લેવા અંગે અને આ ફિલ્મ થકી અનાથ બાળકોને દત્તક લઈ તેમનું જીવન સારી રીતે સફળ થાય તેવી લોકોમાં જાગૃતતા આવે તે આ ફિલ્મ દ્વારા લોકોને માર્ગદર્શન મળી રહે તે પ્રકારની ફિલ્મ છે.

Advertisement

હિમતનગરનાં વતની લેખક અને ડીરેક્ટર નિરંજન શર્માની ગુજરાતી ફિલ્મ ‘મને લઈ જા’ રિલીજ પહેલા જ સમગ્ર ભારત દેશમાં અને ઇન્ટરનેશનલ લેવલે 14 જેટલા એવોર્ડ લઈ ચૂકી છે.અનાથ બાળકને દત્તક લેવાના વિષય પર બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર સંજયભાઈ પટેલ, કલાકાર મમતા સોલંકી, હરેશ ડાઘીયા, હસમુખ ભાવસાર, દીપા ત્રિવેદી, જીગ્નેશ મોદી, પ્રતિમા સહિતના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આજે હિમતનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હજાર કલાકારોએઆ ફિલ્મ વિષે માહિતી આપી હતી.
નોધનીય છે કે ફિલ્મના ગીત ઐશ્વર્યા મજમુદાર, પામેલા જૈન, પાર્થિવ ગોહિલ અને જીગરદાન ગઢવીએ ગાયેલા છે.ત્યારે આજે આ ફિલ્મ રજુ થઇ રહી છે અને ગુજરાતી પરંપરાગત ફિલ્મો કરતા અલગ મેસેજ આપતી ફિલ્મ આ વખત ગુજરાતીઓને માણવા મળશે ત્યારે ફિલ્મના ડાયરેક્ટર નિરંજન શર્માએ એક વખત તો આ ફિલ્મ ગુજરાતી હોવાના નાતે અચૂક જોવી જ જોઈએ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!