અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ગણેશ મહોત્સવ ઢોલ-નગારાના તાલે ઉજવાઈ રહ્યો રહ્યો છે… છેલ્લા 24 વર્ષથી મોડાસામાં રામપાર્ક વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.. રામપાર્ક યુવક મંડળ દ્વારા બાપ્પાને ચાંદીનું છત્તર, મુઘટ, હાર, કડલા, અને જનોઇનો શૃંગાર કરાયો છે.. ટીંટોઇના દૈવિક સોનીને સારવાર માટે શ્રદ્ધાળુઓ દાન કરે તેવી પણ ખાસ વ્યવસ્થા, રામપાર્ક યુવક મંડળ દ્વારા કરાઈ છે…
કોરોના વાઈરસની મહામારી પછી રામપાર્ક યુવક મંડળ દ્વારા વિશાળ ગણેશ પંડાલ તૈયાર કરાયો છે, જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દર્શનાર્થીઓ બાપ્પાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. દરેક શુભ કાર્યમાં દૂંદાળા દેવ પ્રથમ પૂજાતા હોય છે ત્યારે ભક્તો દૂંદાળા દેવના દર્શન કરવાનું કેમ ભૂલે.