જુનાગઢ : ભાજપનો ભરતી મેળો, 200 થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ખેસ પહેર્યો, રાબેતા મુજબ એક જ વાત લોકોના કામ કરવા આવ્યા
વિધાનસભાની ચૂંટણી નજીક દેખાઈ રહી છે ત્યારે રાજકીય અગ્રણીઓ અને કાર્યકરોમાં પક્ષ પલટાની મૌસમ ખીલી ઉઠી છે મોટા ભાગે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો પક્ષ છોડી અન્ય રાજકીય પાર્ટીઓ સાથે જોડાઈ રહ્યા છે જૂનાગઢ તાલુકાના માંગરોળ તાલુકા કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ પેદા થઇ છે શીલ ગામના પુર્વ તાલુકા પંચાયત સદસ્ય તેમજ સરપંચ ગ્રુપ તેમજ 200 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપનો ખેસ પહેરી લીધો છે
ગુજરાત રાજ્ય પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઇ માલમની હાજરીમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોને પોંખવામાં આવ્યા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ રાબેતા મુજબ આક્ષેપ કરી જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, જૂથવાદ સગાવાદ ચાલવામાં આવતો હોવાની સાથે નેતૃત્વ નો અભાવ થી થાકીને ભાજપનો ખેસ પહેર્યો છે પંથકના અને લોકોના કામ ઝડપથી થાય તે અમારો પહેલો ધ્યેય હોવાનું જણાવ્યું હતું