કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જુનાગઢમાં : રોડ અંગે અધિકારીઓના ક્લાસ લીધા, વિશ્વમાં સુપ્રસિદ્ધ ગીરના સિંહ અને કેસર કેરી થી પ્રભાવિત
દેશના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ ગિરનાર પર્વત સ્થિત મા અંબાના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પિયુષ ગોયલે
સરોવર પોર્ટ્રીકો ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જૂનાગઢ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પર્યટકોના દ્રષ્ટિકોથી આસ્થા અને શ્રદ્ધાનો મહિમા વધાર્યો છે. જૂનાગઢ ગીરની કેસર કેરી જૂનાગઢ પંથકનું નહીં પરંતુ ભારત દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે. ગીરના સિંહ વિશ્વમાં ગુજરાતને અનોખી ઓળખ અપાવી રહ્યા હોવાનું જણાવ્યું હતી
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જ્યારે રોપવેની મુલાકાત અને મા અંબાના દર્શને સમયે જૂનાગઢના રોડ અને વિકાસની વાસ્તવિકતા પણ જોઈ લીધી હતી અંબાજી માતાના મંદિર ની જનતાને રોપ વે નજીક પણ પ્રાથમિક સુવિધાઓની ઉણપ જણાતા કમિશનર રાકેશ તન્ના અને વન વિભાગના અધિકારી મંત્રીએ ઉધડો લીધો હતો અને ચાલુ મિંટિંગ દરમિયાન બંને અધિકારીઓને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, શું વાંધો છે લોકોને સુવિધા આપવામાં? શા માટે કામ નથી થતા? અને કઈ પ્રકારનું ગોકળ ગતિનું આ કામ શરૂ છે કે જ્યાં લોકો સુવિધાઓથી વંચિત રહે છે.