36 C
Ahmedabad
Thursday, April 25, 2024

કરાર આધારીત કર્મચારીઓ હવે આંદોલન પર : ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યમાં ફરજ બજાવતા કરારી કર્મચારીઓનું આંદોલન


પ્રમુખ અમિત કવિનો હુંકાર કરાર આધારીત 4થી5 લાખ કર્મચારીઓને ‘સમાન કામ, સમાન વેતન’ની માગ પર સરકાર યોગ્ય ન્યાય કરે

Advertisement

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે સરકારી કર્મચારીઓ તેમની પડતર માંગો લઈને સતત આંદોલન ચલાવી રહ્યા છે સરકાર માટે ભારે મૂંઝવણ ભરી સ્થિતિ પેદા થઇ છે ત્યારે વધુ એક આંદોલન શરૂ થયું છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારીત કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોને લઈને આંદોલન પર ઉતર્યા છે

Advertisement

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવિવારે સવારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારીત કર્મચારીઓ રવિવારે પહોંચ્યા હતા તેમની પડતર માંગોને લઈને આંદોલન કરી આગામી સમયમાં હક્કની લડાઈ લડવા માટે આગેવાનો દ્વારા કર્મચારીઓને તેમની માગ અંગે ચર્ચા કરી હતી અને આગામી સમયમાં તેમણે શું કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે તે અંગે સૂચનાઓ આપી હતી.

Advertisement

શું કહ્યું કરાર આધારીત કર્મચારી સંગઠનના પ્રમુખ અમિત કવિએ વાંચો
કરાર આધારીત કર્મચારી સંગઠનના પ્રમુખ અમિત કવિએ ટેલીફોનીક જણાવ્યુ હતું કે, “અમે અહિયાં અમારો હક માગવા માટે એકત્રિત થયા છે. વર્ગ 1થી લઈને 4 સુધુની કર્મચારીઓને કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, તમામ લોકો વર્ષોથી ફારજ બજાવે છે તેમ છતાં તેમનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાતનાં 4થી5 લાખ કર્મચારીઓ ‘સમાન કામ, સમાન વેતન’ની માગ સાથે ભેગા થયા છે.”વિધાનસભાની ચૂંટણીમાં સરકાર માંગ નહીં સ્વીકારે તો અમે અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું અને જે પક્ષ અમારી માગ સંભાળશે અને તેના ઉપર કામ કરશે તેને અમે જીતાડીશું. અમે સત્તા પક્ષ, વિપક્ષ અને અન્ય જેટલા પણ પક્ષો છે તેમણે વિનંતી કરીએ છે કે અમારી રજૂઆત સાંભળે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!