29 C
Ahmedabad
Thursday, March 28, 2024

રાજ્યની 8 નગર પાલિકાઓે સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત 3.52 કરોડ મંજૂર


– રાજ્યમાં નાગરિક સુખાકારીના કામોને વેગ આપી ઇઝ ઓફ લિવિંગ વધારતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય
– રાજ્યની 8 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી ભાગીદારી યોજના અંતર્ગત રૂ. 3.52 કરોડ મંજૂર કર્યા
– 8 નગરોમાં કુલ 5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે
– ઇડર-પ્રાંતિજ-હિંમતનગર-સિક્કા-ખંભાળિયા-સલાયા – છાયા અને કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકાઓના વિસ્તારના લોકોને લાભ મળશે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓના વિસ્તારના નાગરિકોની સુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં રાજ્યની 8 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી ભાગીદારી યોજના હેઠળ રુ. 3.52 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્અનુસાર, ખાનગી ભાગીદારી યોજના અંતર્ગત આ 8 નગરોના કુલ 5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે.

Advertisement

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ GMFB એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ હેતુસર જે દરખાસ્તો રજૂ કરી હતી તેમાં સાબરકાંઠા જિલ્લાની ઇડર, પ્રાંતિજ અને હિંમતનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને ખંભાળિયા, પોરબંદરની છાયા, જામનગરની સિક્કા તેમજ કચ્છની માંડવી નગરપાલિકાનો સમાવેશ થાય છે.

Advertisement

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઇઓ મુજબ જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીના ઘરોની ગટર લાઇન સાથે જોડાયેલ ન હોય તેવી સોસાયટીઓના ઘરોને પરિવાર દીઠ રૂ. 7 હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે GMFB ની જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી તેને અનુમોદન આપતાં હવે, ઇડર નગરપાલિકાના 707 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા માટે રૂ. 49.49 લાખ, પ્રાંતિજના 300 ઘરો માટે રૂ. 20.92 લાખ, હિંમતનગરમાં 783 ઘરોની ગટર લાઇન માટે રૂ. 54.81 લાખ મંજુર થયા છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાના 177 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂ. 12.26 લાખ, ખંભાળિયાના 1839 ઘરો માટે રૂ. 1 કરોડ 26 લાખ, જામનગરની સિક્કા નગરપાલિકાના 659 ઘરો માટે રૂ. 46.13 લાખ તેમજ પોરબંદરની છાયા નગરપાલિકાના 159 ઘરોની ગટર લાઇન માટે રૂ. 11.13 લાખ અને કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકાના 450 ઘરોની ગટર લાઇન માટે રૂ. 31.50 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ મંજૂરીના પરિણામે હવે આ 8 નગરોમાં પર્યાવરણની જાળવણી સાથે સ્વચ્છતા સુખાકારીમાં વૃદ્ધિ થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!