30 C
Ahmedabad
Thursday, April 25, 2024

રાજપુરમાં રામાપીર મંદિરે ભક્તોનું ઘોડાપુર, નેજા ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, જુઓ કેવી કરી હતી તૈયારી


દૂર દૂર સુધી, ભક્તો જ ભક્તો
રામાપીરના મંદિરે આવતા રામાપીરના ભક્તો
બસો વર્ષ પ્રાચિન રામદેવજી મંદિર એટલે રાજપુર
પદયાત્રા કરીને રામાપીરના ભક્તો પહોંચ્યા

Advertisement

સમગ્ર દેશમાં ભગવાન રામદેવજીની નવરાત્રી મહોત્સવ નિમિત્તે નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રામાપીર મંદિરે નેજા ઉત્સવની ઉજવણી કરાઈ હતી. મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.. પદયાત્રા કરીને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા..નેજા ઉત્સવની ઉજવણી ભાવ અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે મોડાસા આસપાસ સહિત સમગ્ર રાજ્ય માંથી મોટી સંખ્યમાં ભક્તો ભગવાન રામદેવજી દર્શન માટે ઉમટ્યા હતા. હજારો ભક્તો હાથમાં નેજા લઈ સંઘ સાથે પગપાળા આવી ભગવાનને નેજા ચઢાવ્યા હતા.

Advertisement

એક માન્યતા અનુસાર મંદિર આશરે 200 વર્ષ પ્રાચીન છે. પ્રાચિન મંદિર હોવાથી રામદેવ મંદિર ખાતે નેજા ઉત્સવની ઉજવણી ખુબજ દબદબા ભેર કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહા પ્રસાદ તેમજ ભજન અને ડાયરાનું આયોજન પણ કરાયું હતું

Advertisement

રામાપીર હાજરા હજૂર છે, જેથી ભક્તોમાં તેમના પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વા છે, જે તેમને દૂર દૂરથી રાજપુર ગામે ખેંચી લાવે છે. ભક્તો પણ હોંશે હોંશે રામાપીરના દર્શન કરવા અચૂક પહોંચી જાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!