સમગ્ર ગુજરાતમાં રામાપીરના મહાપર્વ ભાદરવા મહિનાની નોમની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ રામાપીર મંદિરો રામાપીરના નાદથી ગુંજી ઊઠ્યા હતા. મોડાસા તાલુકાના દેવરાજધામ, રાજપુર ગામે આવેલા મંદિરો ભક્તોના ઘોડાપુરથી ઉમટ્યા હતા તો મોડાસા શહેરમાં પણ ઠેર-ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી.
મોડાસાના રામદેવનગર માં આવેલ બાબા રામદેવપીર નું મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ભાદરવા મહિના ની નોમ એટલે કે બાબા રામદેવપીર ના નોરતા ના છેલ્લા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મોડાસા મહેશ્વરી સમાજના આગેવાનો જોડાયા હતા. આ શોભાયાત્રા દરવર્ષે નિકળતી હોય છે, જે છેલ્લા 15 વર્ષ થી અવિરત શોભાયાત્રાનું આયોજન કરાય છે, જેમાં દરેક ભક્તો માટે નાસ્તા તથા પાણી ની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જે આ વર્ષે પણ વ્યવસ્થા જોવા મળી હતી.