હાલ સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો ચર્ચામાં છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે અમદાવાદમાં નરોડા વિસ્તારના નેહડા ગામે ઠેર ઠેર ભરવાડ યુવા સંગઠનો દ્વારા ભાજપ વિરોધી પોસ્ટરો લગાવાયા હતા. જેમાં ભાજપના ચિહ્નો પર ચોકડી મારી દેવાઈ હતી. તથા પાર્ટીને અહીં વોટ માગવા નહીં આવવાનું પણ જણાવ્યું હતું.
પોસ્ટરમાં ભાજપના નિશાન પર ચોકડી
નેહડા ગામની દિવાલો પર ભરવાડ યુવા સંગઠને પોસ્ટર છપાવ્યા છે, જેમાં તેમણે ભાજપના નિશાન પર ચોકડી મારી હતી તથા ગાય પર ખરાનું નિસાન કર્યું છે. જેથી યુવા સંગઠન જણાવી રહ્યું છે કે સૌથી પહેલા માલધારીઓની વ્યથાને સરકાર સમજે. નહીં તો વોટ માગવા આવવું નહીં.