ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીને લઇને વિરોધ પ્રદર્શન અને બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેરસના નેતાઓ મેદાને ઉતર્યા છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ પાર્ટી હવે આક્રમક બની હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા સાંકેતિક બંધની અસર જોવા મળી હતી તો ક્યાં મિશ્ર પ્રતિસાદ પણ દેખાયો હતો. કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ સુત્રોચ્ચાર કરી મોંઘવારી સહિતના પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની પોલિસે અટકાયત કરી હતી. દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ બંધના પગલે વેપારીઓને અપીલ કરવા પહોંચ્યા હતા જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પોલિસે અટકાય કરી હતી, તેમની સાથે રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, જિગ્નેશ મેવાણી, ગ્યાસુદ્દીન શેખ તેમજ અન્ય કાર્યકરોની પોલિસે અટકાયત કરી હતી.