સરકારી વિનયન કોલેજ શહેરાના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” જાગૃતિ અંગેના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. જેમાં વિભાગ અધ્યક્ષ ડો. કિરણસિંહ રાજપુત તથા અધ્યાપિકા ડો. નિકિતા સોનારા દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણના ઉપાયો, તેના કારણો તથા આત્મહત્યા ઘટાડવા વિશે મનોવિજ્ઞાનની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ આત્મહત્યા નિવારણના ઉપાયો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તથા વિદ્યાર્થીઓ પાસે આત્મહત્યા નિવારણ વિષય ઉપર પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. આમ સામાજિક જાગૃતિ માટે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તથા તેમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.