અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
નસવાડીમાં ગણપતિ બાપા ની 30 થી વધુ નાની મોટી મૂર્તિઓની ડી.જે ના તાલે વિસર્જન યાત્રા નીકળી વિસર્જન યાત્રા માં માનવ મહેરમણ ઉમટી પડ્યું હતુ અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન યાત્રા સંપ્રન થઇ હતી.
નસવાડીમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ બાપા ની મૂર્તિઓની સ્થાપના કરી હતી. 10 દિવસ પૂજા અર્ચના કરી શુક્રવાર ના રોજ વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં 30 થી વધુ નસવાડી ના અલગ અલગ વિસ્તાર માંથી તેમજ તાલુકા ના અલગ અલગ ગામોમાં વિસર્જન યાત્રા નીકળી હતી. ડી.જે ના તાલે યુવાધન ગરબા ની રમઝટ અને આદિવાસી ટીમના તાલે નાચ-ગાન કરી વિસર્જન યાત્રામાં જોડાયા હતા નસવાડી માં હર્ષો ઉલ્લાસ સાથે ગણપતિ વિસર્જન યાત્રા નીકળી હતી જયારે ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તૂ જલદી આના ના નાદ થી બજારો પણ ગુંજી ઊઠી હતી જયારે નસવાડીના મુખ્ય માર્ગો ઉપરથી વિસર્જન યાત્રા નીકાળી હતી અને અશ્વિન નદીમાં શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું