વિધાનસભાની ચૂંટણી 2022 નું રણશિંગું ફુંકાઇ ગયું છે, વિવિધ સંગઠનો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને વિવિધ સમાજના સંગઠન પોતાની માંગણીઓ ડબલ એન્જિન સરકાર સમક્ષ મુકી તેને સંતોયવા અપીલ કરતા નજરે પડે છે ત્યારે મોડાસાની મુલાકાતે પહોંચેલા પૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીએ ત્રણેય રાજકીય પાર્ટીઓ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જણાન્યું કે, આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ મેદાને છે અને વિવિધ સમાજોના ત્રણ ભાગલા પાડવાનો પ્રયાસ કરશે પણ તેમનો સમાજ સંગઠિત છે અને સંગઠિત રહેવાનો છે.
વધુમાં તેમણે કહ્યું કે, જે કોઇ પણ પાર્ટી ચૌધરી સમાજની વાત સાંભળશે તેમનો સાથે આપશે તેવું પણ જણાવ્યું હતું, વિપુલ ચૌધરી ચૂંટણી લડશે કે નહીં તેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, તેમનો હાઇ કમાન્ડ ચૌધરી સમાજ છે અને સમાજ જેમ કહેશે તેમ તેઓ કરશે.