અલ્કેશ તડવી, મેરા ગુજરાત, નસવાડી, છોટાઉદેપુર
નસવાડી ગ્રામપંચાયત હોલમાં દિગ્વિજય દિવસ નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દિગ્વિજય દિવસ ” નિમિત્તે દિગ્વિજય યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય વક્તા તરીકે વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં નસવાડી તાલુકાની જાહેર જનતા તેમજ ભારતી જનતા પાર્ટીના જીલ્લા પંચાયત દંડક ચેતન મેવાસી, પુર્વ પ્રદેશ મંત્રી ઉર્મિલા બેન વસાવા, યુવા મોરચા મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ, યુવા મોરચા ઉપપ્રમુખ નિશાંત શાહ, નસવાડી યુવા મોરચા ટીમ, નસવાડી તાલુકા જયંતીભાઈ ડુંભીલ ,વિકેશભાઈ ડુંભીલ ઉપસ્થિત રહ્યાં હતા.
છોટાઉદેપુર: નસવાડી ખાતે દિગ્વિજય દિવસ નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
Advertisement
Advertisement