વિજયનગર તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નરોડા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડો.સોનલ પાંડોર ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના નરોડા વિસ્તારના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમાભાઇ પટેલ ગેરકાદેસર મંડળી બનાવી એક મત થઈ ડોકટરની ચાલુ ફરજે જ્ઞાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ કર્યું.હુમલો કર્યો,છેડતી કરી મંડળીના મળતીયાઓ સાથે બોટલમાં ભરેલ ગંદુ પાણી પીવડાવેલ હતું,ખુન કરવાની ધમકી આપી હતી,ફરજમાં રૂકાવટ કરી હતી.જે બાબતે આજ રોજ વિજયનગર તાલુકા ના આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ આરોપી કોર્પોરેટર તેમજ તેના સાગરીતો મનીષ ભરવાડ વગેરે એ એકમત થઈ મહિલા ડોકટર સાથે નિષ્ઠુર કૃત્ય કરેલ છે.જેને સમગ્ર આદિવાસી સમાજ ખુબજ આક્રોશની લાગણી સાથે મોટી સંખ્યા માં આગેવાનો હાજર રહી ને વિજયનગર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી તબીબી મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં નહિ કરવામાં આવે તો આવનાર ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.