29 C
Ahmedabad
Thursday, March 28, 2024

ગાંધીનગરમાં આર્મીમેનના નિધનને લઇને વિજનગર ખાતે અંતિમયાત્રા, ધરણાં સમયે થયું હતું નિધન


સાબરકાંઠાના વિજયનગરના મોવતપુરા ગામે ગતરોજ ચિલોડા સર્કલ પાસે નિવૃત્ત આર્મી જવાનો ના ધરણાં દરમિયાન અચાનક મૃત્યુ પામેલા કાનજીભાઈ મોથલિયાનું નિધન થયું હતું જો કે ગત મોડી રાત સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આજે તેમના વતન ખાતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અંતિમવિધિ યોજાઇ હતી તેમજ પરિવારજનો એ આ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ ટાળ્યો હતો.

Advertisement

 

Advertisement

ગતરોજ ગાંધીનગરના ચિલોડા પાસે નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા હતા વહીવટી તંત્ર સામે ધરણા યોજ્યાં હતા જોકે ધરણાના આ કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠાના વિજયનગરના મોવતપુરા ગામના કાનજીભાઈ મોથલિયા ની અચાનક તબિયત બગડી હતી જેના પગલે તાત્કાલિક ધોરણે તેમને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જેના પગલે વહીવટી તંત્ર પોલીસ અને આર્મી જવાનો વચ્ચે મોડી સાંજ સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ યોજાયા હતા જોકે પરિવારજનો એ પેનલ પીએમ કરાવ્યા બાદ મોડી સાંજે મૃતદેહ સ્વીકારી આજે તેમના માદરે વતન ખાતે અંતિમવિધિ કરી હતી. આ તબક્કે સ્થાનિક સમાજ સહિત આસપાસના લોકો ની હાજરીમાં અંતિમવિધિ કરાઈ હતી જોકે પરિવારજનોએ આ તબક્કે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારા પરિવારજનનું મૃત્યુ ચોક્કસ કયા કારણથી થયું છે તે પેનલ પીએમ દ્વારા જાણી શકાશે. તેમજ વહીવટી તંત્ર સામે હાલમાં કોઈપણ પ્રકારનો આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી જોકે મોટી સંખ્યામાં આવેલા લોકો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં નિવૃત્ત આર્મી જવાન કાનજીભાઈ મોથલિયા ની અંતિમ વિધિ કરાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!