અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સીટી પાસે આવેલા એસ્પાયર-02 નાં બાંધકામ દરમ્યા ગોઝારો અકસ્માત થયો છે. મહાનગર પાલીકાના ફાયર વિભાગના જણાવ્યા મુજબ લગભગ 14 માળના આ બિલ્ડીંગના ઉપરના ફ્લોર પર લિફ્ટના ભાગે ધાબું ભરવાનું કામ શ્રમિકો કરી રહ્યા હતા તે દરમ્યાન અમસ્માત થતાં 8 જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા જેમાંથી 7 શ્રમિકોનાં મોત થયાં છે અને 1 શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયેલ છે.
આ અકસ્માતમાં મરણ પામનારાઓમાં જગદીશ નાયક, સંજયભાઇ નાયક, અશ્વિનભાઇ નાયક, સંજય મંગાભાઇ નાયક, શૈલેશભાઇ નાયક, મુકેશભાઇ નાયક, રાજમલ ખરાડી સહિત 7 જણનો સમાવેશ થાય છે તથા પંકજભાઇ ખરાડી ગંભીર રીતે ધાયલ થયેલ છે.
ઘટનાને પગલે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.
The mishap at an under-construction building in Ahmedabad is saddening. Condolences to those who have lost their family members in this mishap. I hope the injured recover soon. The local authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
Advertisement— PMO India (@PMOIndia) September 14, 2022
Advertisement
અમસ્માતના સ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ, મહાનગરપાલીકાના અધિકારીઓ, મેયર, ધારાસભ્ય રાકેશ પટેલ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર આઇ કે પટેલે મુલાકાત કરી હતી. મેયર કીરીટ પરમારે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુોં તથા જણાવ્યું હતું કે જે પણ લોકો આ ઘટના માટે જવાબદાર હશે તેના પર પોલીસ પગલાં લેશે.