27 C
Ahmedabad
Thursday, April 25, 2024

અમરેલી: પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીને લઇને તૈયારી, યજ્ઞકુંડનું નિર્માણ


પ્રધાનમંત્રીના જન્મદિવસને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ-અલગ કાર્યક્રમો આયોજિત કર્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પીએમ મોદીના દિર્ધાયું માટે અમરેલીમાં મહાયજ્ઞમાં યોજાશે, જે માટે વિધિવત યજ્ઞ કુંડનું નિર્માણ કાર્ય શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું.

Advertisement

જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે યોજાનાર મહાયજ્ઞમાં વિધિવત યજ્ઞ કુંડનું નિર્માણ કાર્ય શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું. આ માટે બે ભવ્ય ડોમ પણ હવે પૂર્ણતાના આરે છે, વરસાદની આગાહી વચ્ચે બંને ડોમ સંપૂર્ણ વોટર પ્રૂફ તૈયાર કરવામાં આવ્યા છે. યજ્ઞમાં ભાગ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો સુરેશભાઇ પાનસુરીયાના કાર્યાલયે ઉમટી પડ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 4 વાગ્ય સુધી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, આ માટે તૈયારીનું નિરીક્ષણ કરવા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા પહોંચ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!