વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબમાં દીર્ઘાયુ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આજ રોજ ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને ગુજરાત ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને ભાજપ પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા ને ગાંધીનગર ખાતે રૂબરૂ નિમંત્રણ પાઠવતા કાર્યક્રમના આયોજક જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસૂરિયા.
આ કાર્યક્રમની ભવ્યતા અને નિમંત્રણ પત્રિકાની સુંદરતા મહાનુભાવોએ નિહારી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત દીર્ઘાયુ 73 કુંડી મહાયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમ ની માહિતી મેળવી.આ મહાનુભાવોએ કાર્યક્રમની ભવ્યતા ને બિરદાવી વડાપ્રધાનના દીર્ઘાયુ મહાયજ્ઞને શુભકામનાઓ પાઠવી.