મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી સુધી નગરપાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ છેલ્લા બે ત્રણ દિવસ સુધી બંધ રહેતા વાહનચાલકો અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો શહેરીજનોના પ્રશ્નને વાચા આપતો અહેવાલ મેરા ગુજરાતમાં પ્રકાશીત થતા નગરપાલિકા તંત્ર સફાળું જાગી બંધ સ્ટ્રીટ લાઈટ નું સમાર કામ કરી વીજપુરવઠો પુરવર્ત કરતા સ્ટ્રીટ લાઈટ ઝળહળી ઉઠી હતી શહેરીજનોમાં આનંદ છવાયો હતો
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી સુધી રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા બંને સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર પશુઓનો અડીંગો હોવાથી વાહનચાલકોના માથે અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે ઉપરાંત સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે રાત્રે મહિલાઓ બાળકોને સિનિયર સિટીઝનનો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ આ રોડ ઉપર ટયુશન ક્લાસમા વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે,રત્નદીપ થી ઋષિકેશ સોસાયટી રોડ પરથી રાત્રે અંધારામાં પસાર થવું ભયજનક બન્યું હતું આ અંગે મેરા ગુજરાતમાં સ્થાનિક શહેરીજનોને પડતી મુશ્કેલી ને વાચા આપતા નગરપાલિકા તંત્ર તાબડતોડ સોસાયટીની સ્ટ્રીટ લાઈટનું સમારકામ કરી વીજપુરવઠો પૂર્વરત કરતા રોડ પર સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ રેલાતા વાહનચાલકો અને શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો