32 C
Ahmedabad
Friday, April 19, 2024

IMPACT : Mera Gujaratના અહેવાલની અસર, રત્નદીપ થી ઋષિકેશ સોસાયટીની સ્ટ્રીટ લાઈટ ઝળહળી ઉઠી, લોકોમાં આનંદ


મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી સુધી નગરપાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ છેલ્લા બે ત્રણ દિવસ સુધી બંધ રહેતા વાહનચાલકો અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો શહેરીજનોના પ્રશ્નને વાચા આપતો અહેવાલ મેરા ગુજરાતમાં પ્રકાશીત થતા નગરપાલિકા તંત્ર સફાળું જાગી બંધ સ્ટ્રીટ લાઈટ નું સમાર કામ કરી વીજપુરવઠો પુરવર્ત કરતા સ્ટ્રીટ લાઈટ ઝળહળી ઉઠી હતી શહેરીજનોમાં આનંદ છવાયો હતો

Advertisement

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી સુધી રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા બંને સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર પશુઓનો અડીંગો હોવાથી વાહનચાલકોના માથે અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે ઉપરાંત સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે રાત્રે મહિલાઓ બાળકોને સિનિયર સિટીઝનનો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ આ રોડ ઉપર ટયુશન ક્લાસમા વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે,રત્નદીપ થી ઋષિકેશ સોસાયટી રોડ પરથી રાત્રે અંધારામાં પસાર થવું ભયજનક બન્યું હતું આ અંગે મેરા ગુજરાતમાં સ્થાનિક શહેરીજનોને પડતી મુશ્કેલી ને વાચા આપતા નગરપાલિકા તંત્ર તાબડતોડ સોસાયટીની સ્ટ્રીટ લાઈટનું સમારકામ કરી વીજપુરવઠો પૂર્વરત કરતા રોડ પર સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ રેલાતા વાહનચાલકો અને શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!