અલ્કેશ તડવી, સંખેડા, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આઈ.ટી.આઈ. ખાતે દિક્ષાંત સમારોહનું આયોજન કરાવમાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યાંમાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારવા દિક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં પછલા વર્ષના ટ્રેડમાં પાસ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત કરાયા હતા. એક થી ત્રણ નંબરે પાસ થયેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપીને આ સન્માન આપવામાં આવ્યું હતું.
સંખેડા આઈ.ટી.આઈ. ખાતે આયોજિત કાર્યક્રમમાં સફળ થયેલ વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહાદરપુર ગામના દિલીપભાઈ તડવી એ પણ તેની સફળતાની ચાવી તાલીમાર્થીઓને બતાવી અન્ય તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે જ આઈ.ટી.આઈ. માં વાઘોડિયા કંપનીના માલિક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે જ આચાર્ય, ઈન્સ્ટ્રક્ટર પણ ખાસ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.