મોડાસાના રામપુર ગઢડા ગામે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ મોડાસા સંયુક્ત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ મોડાસાના રામપુર (ગઢડા)ગામ ની પ્રાથમિક શાળા ખાતે નેત્ર નિદાન દ્વારા 328 દર્દીઓને તપાસ કરવામાં આવી તેમાં 29 દર્દીઓને ઓપરેશન માટે લેવામાં આવ્યા અને 298 દર્દીઓને નજીક અને દુર ના ચશ્મા મફત વિતરણ કરવામાં આવ્યું
આ કેમ્પમાં દર્દીઓની આંખની તપાસ કરી મોતિયાના દર્દીને ઓપરેશન માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ દવાખાને લઈ જઈ ઓપરેશન કરી પરત તેમના સ્થળે મૂકવામાં આવશે તેમજ દર્દીના લેબોરેટરી ટેસ્ટ, દવા, આંખના ટીપા, અને ચશ્માં નિશુલ્ક આપવામાં આવનાર છે તેમજ દર્દી અને સાથે આવનાર સાથીદાર ને નિશુલ્ક રહેવા અને ભોજન પણ વ્યવસ્થા રાખેલ છે
આ કેમ્પના આયોજન માટે જલારામ સેવા ટ્રસ્ટ ના આયોજક ડૉ.બાંમણિયા સાહેબ જીવદયાપ્રેમી નિલેશ જોષી, જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રવીણ પરમાર જાયન્ટ્સ પરિવાર અને ગામના આગેવાન ચૌહાણ લક્ષ્મણસિંહ પ્રજાપતિ શંકરભાઈ વિક્રમસિંહ ઓ એ ખૂબ જહેમત ઉઠાવી હતી