27 C
Ahmedabad
Monday, May 29, 2023

CBI એ ABG શિપયાર્ડ ચીફ RK અગ્રવાલની ધરપકડ કરી, 22,800 કરોડની છેતરપિંડી સંબંધિત છે કેસ


CBIએ બુધવારે ABG શિપયાર્ડ લિમિટેડના ચેરમેન ઋષિ કમલેશ અગ્રવાલની રૂ. 22,842 કરોડથી વધુની કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં ધરપકડ કરી છે. એજન્સીએ અગ્રવાલ અને કંપનીના અન્ય લોકો પર ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફોજદારી કાવતરું, છેતરપિંડી, વિશ્વાસનો ફોજદારી ભંગ અને સત્તાવાર પદના દુરુપયોગના કથિત ગુનાનો આરોપ મૂક્યો હતો.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીને ICICI બેંકની આગેવાની હેઠળની 28 બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ સુવિધાઓ મંજૂર કરવામાં આવી હતી, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું રૂ. 2,468.51 કરોડનું એક્સ્પોઝર હતું.

Advertisement

અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા હાથ ધરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, 2012 અને 2017 ની વચ્ચે આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી હતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી હતી જેમાં ભંડોળનો દુરુપયોગ અને વિશ્વાસનો ગુનાહિત ભંગ સામેલ હતો.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નાણાનો ઉપયોગ બેંકો દ્વારા જારી કરાયેલા હેતુઓ સિવાય અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. લોન એકાઉન્ટને જુલાઈ 2016માં નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) અને 2019માં છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!