બે વર્ષ પછી ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંને 12 વાગ્યા પછી પણ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે.
નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે, નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે. આ સાથે તેમણે રાજકોટ માં કહ્યું કે નવરાત્રી દરમિયાન રાત્રિના 12 વાગ્યા બાદ પણ હોટલો ખુલ્લી રહેશે. ખેલૈયાઓ હવે ગરબાની મોજ લઈ અને ખાણીપીણીનો સ્વાદ પણ લઈ શકશે.
ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, – ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k
Advertisement— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022
Advertisement