39 C
Ahmedabad
Thursday, April 25, 2024

ખેલૈયાઓમાં ખુશીના સમાચાર, રાત્રે 12 વાગ્યા સુધી ખાણી-પીણી બજારો રહેશે ખુલ્લા


બે વર્ષ પછી ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંને 12 વાગ્યા પછી પણ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે.

Advertisement

નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે, નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે. આ સાથે તેમણે રાજકોટ માં કહ્યું કે નવરાત્રી દરમિયાન રાત્રિના 12 વાગ્યા બાદ પણ હોટલો ખુલ્લી રહેશે. ખેલૈયાઓ હવે ગરબાની મોજ લઈ અને ખાણીપીણીનો સ્વાદ પણ લઈ શકશે.

Advertisement

ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, – ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!