સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સસ્તા અનાજના સંચાલકો દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર અપાવ્યું
વિજયનગર તાલુકા ના તમામ રેશનિંગ દુકાનદારોના વિવિધ પડતર પ્રશ્નો ને લઈને આજ રોજ વિજયનગર નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને 150 ના કમિશન ની સામે મોંઘવારી ને લીધી કઈ જ પરવડતું નથી ,દુકાનદારોને દર મહિને જથ્થા માં ઘટ પડે છે જેનાથી કયારેક તો અધિકારીઓ દ્વારા દંડ ની કાર્યવાહી કરવામાં આવે છે આવી વિવિધ માંગણીઓ ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પ્રમુખે જણાવ્યું કે અમારી માગણી સરકાર દ્વારા સંતોષવામાં નહીં તાં, 2 ઓક્ટોબર થી વિતરણથી દૂર રહીશું તેમ જણાવ્યું હતું હતી.
રેશનિંગ દુકાનદારોના મુખ્ય પ્રશ્નો
1 પોષણક્ષણ વળતર અથવા પગાર બંનેમાંથી એક
2 વિતરણ ઘટ મજરે મળે
3 કોરોના કાળમાં આવસાન પામેલા વેપારીઓને તત્કાળ સહાય ચુકવવામાં આવે
4 ઓપરેટરો અને તોલાટનો પગાર નક્કી કરવામાં આવે
5 સ્ટેશનરી તેમજ ઇન્ટરનેટ ખર્ચ અલગથી મંજુર કરવામાં આવે
6 લાઇટ બીલ તેમજ દુકાનોનું ભાડું અલગથી
7.સરકારી જમીન પર દુકાન બનાવવા એક પ્લોટ ચુક્વાય પાય
8 વિતરણથી માંડીને લાઇવ અને ફિઝિકલ સ્ટોક સહિત રોજે રોજનું સેલિંગ સહિતના તમામ ડેટા દુકાનદારોના ઇએપીએસ લોગિનમાં
જ ઉપલબ્ધ થઇ જતા હોવાથી રજિસ્ટર નિભાવવામાંથી મુક્તિનો તત્કાલ પરિપત્ર કાય
9 દુકાનદારોનું આકસ્મિક અવસાન થાય તેવા કિરસામાં તેની વારસાઇ તાત્કાલિક ધોરણે થાય તેવી માગણીઓ છે