અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના ભેખડિયા ગામ પ્રાકૃતિક ખેતી,ગૌસંવર્ધન,ગ્રામજનો દ્વારા નિર્મિત ચેકડેમ, વ્યસનમુક્ત ગ્રામ, વૃક્ષોરોપણથી નિર્મિત આ દિવ્યગામ રાજકોટથી મનસુખભાઈ સુવાગીયાની પ્રેરણાથી શ્રીરતનભાઈ ભગત અને શ્રી મિલનભાઈ રાઠવા ની સાથે ગ્રામજનોના પરિશ્રમથી આત્મનિર્ભર બન્યું છે.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદશ્રીમતિ ગીતાબેન રાઠવા, પૂર્વ સંસદ અને ટ્રાઇફેડ ચેરમેનશ્રી રામસિંહભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા-તાલુકા હોદ્દેદારશ્રીઓ-તાલુકા-જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.