28 C
Ahmedabad
Saturday, September 23, 2023

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલ બંધ મકાનમા તસ્કરો ત્રાટક્યા, 2.88 લાખના મુદ્દામાલ પર હાથ સાફ..!!


સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી 2,88,100 મુદ્દામાલ ચોરાયો

Advertisement

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલ તુલસી સોસાયટીના એક બંધ મકાનમાં ને ટાર્ગેટ બનાવી બાથરૂમની બારી તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ₹1,50,000 એમ કુલ મળી ₹2,88,000 ની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા.

Advertisement

સાંજે ઘરે પરત ફરતા મકાન માલિકને ઘરમાં ચોરીની જાણ થતા તેઓએ હિંમતનગર પોલીસ સ્ટેશન નોંધાવી હતી જેને લઇ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ ચોરી અંગેપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માહિતી મળી હતી કે ભોલેસ્વર વિસ્તારમાં આવેલ તુલસી સોસાયટીમા વિનેશભાઈ કાંતિભાઈ ગામેતી રહે છે જેઓ 6 જુલાઈના રોજ વહેલી સવારે પોતે પાણી સપ્લાય નો વ્યવસાય કરતા હોવાથી ઘરે થી નોકરી જવા માટે નીકળી ગયા હતા અને તેમના પત્ની હિંમતનગર સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાથી બાળકોને સાથે શાળામાં લઈને ગયા હતા. તે દરમિયાન તેમનું મકાન બંધ હોવાથી અજાણા ઈસમો બાથરૂમની બારી તોડી બારીમાંથી ઘરમાં ઘૂસી તિજોરી તાળું તોડી તિજોરીમાં મૂકેલા ૧,૩૮,૦૦૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત દોઢ લાખ રૂપિયા ની રોકડ રકમ લઈ ચોર ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર મામલે હિંમતનગર પોલીસ પી.એસ.આઇ એવી જોશીએ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!