કોલસાની અછતને લઇને વીજળી પર સંકટ પહેલા તોડાતું હતું કેમ કે કોરોનામાં કામગિરી બંધ રહેવાના કારણે આ પ્રકારની સમસ્યા ગયા વર્ષે સામે આવી હતી ત્યારે આ વર્ષે પણ અગાઉ વીજળીને લઈને રાડબુમ જોવા મળી રહી છે. એક બાજુ સત્તાધીશો વીજળીની અછત નથી તેવું કહી રહ્યા છે ત્યારે રાજ્યોમાં કાપ મુકવાની સ્થિતિ આવી ચૂકી છે.
ખાસ કરીને ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 18 પિટહેટ પ્લાન્ટમાં નિર્ધારીત માપદંડો પ્રમાણે 78 ટકા જ કોલસો છે જ્યારે અંતરયાળ વીજળીઘરમાં માપદંડો પ્રમાણે 25 ટકા જ કોલસો છે. જો વધુ કોલસો હોત તો પીટહેટ પ્લાન્ટ 17 દિવસથી 26 દિવસ ચાલી શકત. એક અંદાજ મુજબ દેશમાં આવેલા 173 પાવર પ્લાન્ટમાંથી 106 પાવર પ્લાન્ટ પાસે જ કોલસો છે. આ કોલસો જીરોથી 25 ટકા જેટલો જ છે.
ખાસ કરીને અત્યારેની વીજળીની સ્થિતિને જોવા જઈએ તો થર્મલ પાવર સ્ટેશનનીઆગામી કેટલાક દિવસ પુરતો જથ્થો જરુર છે પરંકુ તેનો સ્ટોટ કરવો ખૂબ જ જરૂરી બની ગયું છે. 9 દિવસ જેટલી ચાલે એટલી સફિસીયન્ટ વીજળી એવેલેબલ છે.
જેથી વીજળીના તોડાતા ખતરાને જોતા સારા સમાચાર એ આવ્યા છે કે થર્મલ પાવર પ્લાન્ટ માં અત્યારે પૂરતો જથ્થો નવ દિવસનો છે ત્યારે આગામી સમયમાં પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે તે પ્રકારની વિગતો સામે આવી છે.
કોલસાની અછતને લઇને વીજળી પર સંકટ પહેલા તોડાતું હતું કેમ કે કોરોનામાં કામગિરી બંધ રહેવાના કારણે આ પ્રકારની સમસ્યા ગયા વર્ષે સામે આવી હતી ત્યારે આ વર્ષે પણ અગાઉ વીજળીને લઈને રાડ જોવા મળી હતી ત્યારે અત્યારે સ્થિતિ સારી હોવાનું અનુમાન લગાવવાંમાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યને જોતા સોલાર પાવર પર નિર્ભર રહેવાને લઈને સરકાર પણ અપ્રોચ કરી રહી છે.